● કૃષ્ણગાન-૬ ● ઇલિયાસ શેખ
અમે તો કૃષ્ણપંથી વ્હાલાં,
અમે તો કૃષ્ણપંથી.
મોરપીંછની માળા ધરશું,
‘ને વાંસલડીની કંઠી.
અમે તો કૃષ્ણપંથી.
બાંકેજીની એક અદા પર,
અમે તો જાશું વારી.
નામ હરિનું રટતાં-રટતાં,
ભવને જાશું તારી.
ગોકૂળ દિશ ઉડાન ભરંતા,
અમે તો કૃષ્ણપંખી.
અમે તો કૃષ્ણપંથી.
ગોવર્ધનની રમણ-રેતમાં,
અમે તો ‘ગિરિવર’ લખશું.
વૃંદાવનની કુંજ ગલીમાં,
દિવસ-રાત બસ ટહલશું.
હરિનામની ચુનર ઓઢીને,
વર્યા હરિને મનથી.
અમે તો કૃષ્ણપંથી.
●●●
|
No comments:
Post a Comment